દેશભરમાં અત્યારે સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળી રહ્યો છે. આ જીવલેણ રોગને કારણે મૃત્યુઆંક વધતા આરોગ્ય મંત્રાલય પણ હવે દોડતું થયું છે. ગુજરાતમાં તો સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
રાજ્યમાં દિવસેને દિવસે વકરતા જતા સ્વાઈન ફ્લૂને લઇને લોકોમાં દહેશત ફેલાયેલી છે. ત્યારે આ મુદ્દે સીએમ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. રૂપાણીએ કહ્યું કે, આરોગ્ય વિભાગ ઘરે-ઘરે જઇને લોકોના આરોગ્યની તપાસ કરશે.
Leave Comments